25.12.18

સ્વીડીશ 'લરગોહમ' :બુદ્ધનો સમ્યક સિદ્ધાંત

ન ઓછું, ન વધારે…

 
  ગીતા માણેક



સ્વિડનની પ્રજા વિશ્વભરમાં સૌથી વધુ ખુશ અને આનંદિત પ્રજાઓમાંની એક ગણાય છે. તેમની ખુશી અને શાંતિપૂર્ણ જીવનનું રહસ્ય છે 'લરગોહમ'.

કોલેજિયન આર્યનાનો કબાટ કપડાંથી ખીચોખીચ છે. કોલેજ, પાર્ટી, નવરાત્રિ, લગ્ન, તહેવારો માટેનાં એમ ઢગલાબંધ કપડાં એમાં ભર્યા છે. 

શોભનાબેનનું રસોડું વાસણોથી ખીચોખીચ છે. દિવાળીમાં નાસ્તા પીરસવા માટેની ક્રોકરીથી માંડીને ડિનર સેટ, જાતભાતના તપેલાં, જુદા-જુદા પ્રકારનાં તવાઓ અને કંઈક કેટલુંય ભરેલું છે. 

દીપના શૂ-રેકમાં સ્પોર્ટસ, ફેર્મલ શૂઝ, સ્લીપર, ચંપલ, સેન્ડલ્સ એમ કુલ મળીને જૂતાંની ૨૨ જોડી છે.

દીપકભાઈની રેડિમેડ કપડાંના મુંબઈ, પૂણે, ચેન્નાઈ, કોલકાતા અને હૈદ્રાબાદમાં એમ કુલ મળીને બાર સ્ટોર્સ છે અને હવે તેઓ દુબઈમાં પણ એક સ્ટોર શરૂ કરવામાં વ્યસ્ત છે. મહિનાના વીસેક દિવસ તેઓ બહારગામ હોય છે. તેમની પાસે સમયની સતત અછત હોય છે.

ચીજવસ્તુઓ હોય કે ઈન્ટરનેટ પર સમય વ્યતીત કરવાનો હોય, ખાવા-પીવાનું હોય કે ધંધા-વ્યવસાય માટે સમય ફળવવાનો હોય, આપણે દરેક બાબતમાં અતિરેક કરતા થઈ ગયા છીએ.

આઝાદીની ચળવળ વખતે કે ત્યાર પછીના થોડાં વર્ષો સાદગી અને કરકસરનો મહિમા હતો. પછી એક આખી નવી પેઢી આવી જેમણે કહ્યું કે અમારી પાસે જે છે એ અમે શા માટે ન માણીએ? ત્યાગ, બલિદાનનું સ્થાન ભોગવાદે લઈ લીધું. વાનગીઓથી માંડીને વસ્ત્રોમાં, મોબાઇલથી લઈને મોટરમાં વેરાઈટી આવી ગયાં. મનોરંજન માટે સેંકડો ચેનલો અને મોબાઇલ એપ્સ આવી ગયા, છતાં આપણને જે જોઈતું હતું એ સુખ તો ન આવ્યું. એને બદલે ડ્રગ્સ, ડિપ્રેશન અને સુસાઇડ વધી ગયાં. આનું કદાચ મુખ્ય કારણ છે સંતુલનનો અભાવ.

સ્વિડનની 'લરગોહમ' જીવનશૈલી કહે છે કે કશાયનો ત્યાગ નથી કરવાનો પણ જેટલું જોઈતું હોય એટલું જ ખરીદો અને વાપરો. જે છે એનાથી વધુ મેળવવા માટેની દોડમાં લાગવાને બદલે જે છે એને પહેલાં માણો તો ખરા! થોડાક ધીમા પડો. આખો દિવસ ઊંધું ઘાલીને કામ કરવામાં જ રચ્યાપચ્યા ન રહો.

ધંધો, વ્યવસાય કે નોકરી કરો પણ પોતાની જાત સાથે, પહાડો કે દરિયાકિનારે નહીં તો છેવટે ઘર નજીકના બગીચામાં જઈને થોડો સમય કુદરતના સાનિધ્યમાં વિતાવો. પોતાની જાતને સાંભળો એમ પરિવાર, મિત્રો કે પરિચિતોની વાત પણ કાન દઈને સાંભળો. અધીરા ન બનો. બીજાઓ સાથે પણ થોડું વહેંચો. લાખોનું દાન કે સમાજસેવાના કાર્ય કરવાની જરૂર નથી. પણ આપણી આસપાસના લોકોની આપણે કેટલી નોંધ લઈએ છીએ?

 ડ્રાઇવરને કે કામવાળી બાઈને તેના બાળકો વિશે આપણે છેલ્લે ક્યારે પૂછયું હતું? મોબાઇલમાં મેસેજ કે ફેન પર વાત કરતાં કરતાં રોજ આપણે વોચમેન પાસેથી પસાર થઈ જઈએ છીએ. છેલ્લે ક્યારે આપણે તેમને એક સ્મિત આપીને કેમ છો એવું પૂછયું હતું? ટેક્સી ડ્રાઇવર કે વેઇટરને ધન્યવાદ કહેવાનું આપણને યાદ રહ્યું હતું?

બુદ્ધ ભગવાન સાધનાકાળમાં હતા અને તેમનું શરીર કૃષકાય થઈ ગયું હતું. એ વખતે તેમણે એક સિતારવાદક અને તેના શિષ્યને વાતચીત કરતા સાંભળ્યા હતા. સિતારવાદક કહી રહ્યા હતા કે સિતારના તારને એટલા પણ ન ખેંચવા કે એ તૂટી જાય અને એટલા ઢીલા પણ ન છોડવા કે એમાંથી સંગીત ન નીપજે. બુદ્ધ ભગવાનને ત્યારે સત્ય લાધ્યું જેને તેમણે કહ્યું- સમ્યક. સ્વિડનનો લરગોહમ એટલે કદાચ બુદ્ધે આપેલો સમ્યકનો સિદ્ધાંત જ. ન ઓછું, ન વધારે; ખપ પૂરતું જ.

ગાંઠ છૂટયાની વેળા!

બ્રેક અપ :

અપાર સંભાવનાઓનો જામ ઢોળાઇ જવાનું પેઈન 

જય વસાવડા

ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોંનો!


રિચાર્ડ બાક મોટા ગજાના પોએટિક ઇન્સ્પિરેશનલ રાઈટર. ૧૯૮૨માં એમની ચારસો એક પાનાની
સેમી ઓટોબાયોગ્રાફિલ કથા આવેલી. "બ્રિજ એક્રોસ ફોરએવર"  વાર્તામાં નાયક એક લેખક છે, અને એને સોલમેટની જેમ મળેલી રમણી લેસ્લી એકટ્રેસ છે. બેઉ વાતવાતમાં મૈત્રીથી મહોબ્બત સુધીના પડાવ વટાવતા વટાવતા નજીક તો આવે છે. પણ કમિટમેન્ટ ઇસ્યૂઝ છે, કોમ્પિટિબિલિટી કવેશ્ચન્સ છે. જે - તે વખતે સ્ત્રી લાગણી વરસાવે છે, ત્યારે કન્ફ્યુઝડ પુરૂષ એ ઝીલી નથી શક્તો.
સુંદર એટલી જ સમજદાર એવી નાયિકા એક પત્ર લખે છે. લવલેટર નહિ, લીવ-લેટર. રિચાર્ડ બાકની લેસ્લી લખે છે :
''વેસ્ટર્ન સિમ્ફની સંગીતની મૂળભૂત ઓળખ 'સોનાટા' ફોર્મમાં છે. જેમાં પહેલા એક્સપોઝિશન હોય : ધીમે ધીમે ઉપાડ થાય. વાદ્યો, રિધમ સેટ થાય, ધુનની લહેરખીઓનો આરંભ થાય.પછી ડેવલપમેન્ટ સ્ટેજ આવે જેમાં સૂર ઉપર-નીચે થાય, લય જોર પકડે અને ધ્વનિ એકમેકમાં ભળીને ફેલાતો જાય. છેલ્લે રિકેપિચ્યુલેશન આવે. કોમ્પલેક્સ સૂરાવલિઓ એના શિખર પર પહોંચે, એક મેચ્યોર મેમરી મેજીક બની હળવે હળવે શાંત થાય.
મોટા ભાગના સબંધોની શરૂઆત આકર્ષક અને રસપ્રદ હોય છે. સહજ મુલાકાતો થતી હોઈ ડિફેન્સના કવચ કે ગણત્રીની શતરંજ એમાં ઉમેરાતી નથી. નવીન એક્સપ્લોરેશનનો ચાર્મ ફન પેદા કરે છે. એક્સાઈટમેન્ટ પ્લેઝર આપે છે. ફુલો ખીલેલા હોય છે, એટલે કાંટા હોવા છતાં ઢંકાયેલા લાગે છે!
પણ આપણી વચ્ચે સમયની ન પૂરાય એવી ખાઈ વધતી જાય છે. જે અસુખ પેદા કરે છે. કદાચ તું બીજી બાબતો - વ્યક્તિઓને વધુ પ્રાધાન્ય આપે એમાં 'આપણો સમય' લિમિટેડ થતો જાય છે. પ્રામાણિકતા અને હિંમતથી કબૂલવું પડે કે આપણા સંબંધમાં એ ઉષ્મા નથી રહી. (ઉષ્મા ન રહે તો ગરિમા ન રહે. ક્રેઝ એન્ડ રિસ્પેક્ટનું ફિફ્ટી-ફિફ્ટી બેલેન્સ જ લવ પેદા કરે!)
એટલે હું ગમે તેટલું ઈચ્છું, હું આગળ નહિ વધી શકું.  મારે સ્વીકારવું પડે કે 'જૉય ઓફ કેરિંગ' કેવો હોય એ કોમ્યુનિકેટ તને કરવાના મારા પ્રયાસો નિષ્ફળ ગયા. તને એ કાળજી, ખેવના બંધન લાગવા લાગી.
ડિયર રિચાર્ડ, આ બધું તને પ્રેમથી, ધીમા સાદે ભીનાશથી લખું છું. પણ સોફ્ટ ટોનનો અર્થ એવો નથી કે, મારી ભીતર એનો ગુસ્સો નથી. એ ક્રોધ તો છે, હકીકત છે. પણ એટલે એનું રૂપાંતર આક્ષેપો, આરોપો અને ફોલ્ટફાઈન્ડિંગમાં કરવું નથી. હું એટલે આંતરખોજ કરી વધુ સમજણ કેળવવાનો પ્રયત્ન કરું છું.

મને તો ગૌરવ છે કે, આપણે મળ્યા, સાથે સમય વીતાવ્યો. એ એક દુર્લભ અને સરસ તક હતી એનો કમસેકમ મને તો અહેસાસ રહ્યો, અને જ્યારે સાથે હતા ત્યારે શ્રેષ્ઠ અને ઉત્તમ, પ્યોરેસ્ટ એન્ડ હાઇએસ્ટ લાગણીઓ એમાં રાખી.
આજે આ સંબંધનો અંત આવે છે, ત્યારે હું નિખાલસતાથી કહી શકું કે દુ:ખની સાથે આનંદ પણ છે કે તારો મને સ્પેશ્યલ કહેવાય એવો પરિચય થયો. આપણે સાથે જે સમય વીતાવ્યો એને કીમતી ખજાનાની જેમ હું જાળવીશ. મારો ય એ ગાળામાં વિકાસ થયો, કશુંક તારામાં મારે લીધે આવ્યું, તારી સાથે રહી ઘણું માણવા, જાણવા અને શીખવા મળ્યું. એકબીજાના સ્પર્શે  આપણે બેઉ બેહતર ઈન્સાન બન્યા.
મને અત્યારે ચેસની રમત પણ યાદ આવે છે. એ એવી રમત છે, જેમાં રમનારા બે હોય છે. પણ બે ય સતત માત્ર પોતાની બાજી ઉપર જ ફોકસ થઇ વિચારે છે. સામા તરફ એની ચાલનો જવાબ આપવા જેટલું જ ધ્યાન આપે છે! જેમ-જેમ રમત આગળ વધે છે, એમ સામસામો સંઘર્ષ વધે છે. ટૂકડે-ટૂકડે બેઉ પોતપોતાના સૈન્યને ગુમાવે છે, અને છેલ્લે એક ફસાય છે અને બીજા એને પરાજય માટે ક્યાંય હલીચલી ન શકે એમ મજબૂર કરે છે.
મને લાગે છે, તું લાઈફને ચેસ તરીકે નિહાળે છે. હું એને સોનાટા તરીકે જોઉં છું. અને આ તફાવતને લીધે કિંગ એન્ડ ક્વીન હારી ગયા છે, અને ગીત ખામોશ છે!
હું છતાં ય તારી મિત્ર છું, ને મને ખબર છે કે તું ય મારો મિત્ર છે. હું આ ઉંડા, કોમળ પ્રેમથી છલોછલ હૃદયે લખું છું. તને ય ખબર છે, તારા માટે કેટલી ચાહત અને માન છે. પણ એ સાથે જ એક કાયમી દર્દ પણ છે, કે આપણી વચ્ચે ઉજ્જવળ સંભાવનાઓ હતી, જે ખાસ અને સુંદર હતી એ આમ જ અધૂરી રહી, તક રોળાઇ ગઇ!''

કોઈ પણ જૂનો, સારો, ગાઢ સંબંધ તૂટે ત્યારે એના ઉઝરડાઅને ઉહંકારા તો નીકળે છે. બધાને કહી ન શકાય અને ભીતરથી સહી ન શકાય, એવો એક તબક્કો આવે છે રિલેશનનો. એમાં વિદાયની વેદના સાથે ખુદ પરની આશંકાઓના ગિલ્ટ ખતરનાક રીતે ઘેરી વળે છે.
દરેક બ્રેક અપ બાદ એવી લાગણી થાય કે આપણામાં કંઇક ખૂટે છે, અધૂરપ છે કે કશીક એલર્જીકારક નેગેટીવિટી છે, જેને સામી વ્યક્તિ જીરવી નથી શક્તી. પસંદ નથી કરતી. એવરી રિજેકશન લીડ્સ ટુ થોટ્સ ઓફ કરેકશન. અને સ્વભાવ ઝટ બદલતો નથી, એ બાબત વળી પેદા કરે ફ્રસ્ટ્રેશન! આપણી જ પર્સનાલિટીમાં આપણી જ ખુશીને ખતમ કરતું કોઈ વિષ હોય, એ વાસ્તવ સ્વીકારવા માટે ય સ્થિતપ્રજ્ઞાતા જોઇએ, જે કેળવવી સહેલી નથી. આપણે એ સ્વીકારી નથી શકતા કે બે વ્યક્તિ ક્વૉલિટી ઈન્ડિવિજ્યુઅલ્સ હોય એટલે 'ટુગેધર' રહી જ શકે, એવું થિઅરીમાં લાગતું હશે, પ્રેક્ટિકલમાં હોતું નથી.
કોઈપણ ડેપ્થવાળી રિલેશનશિપની મજા એ છે કે, એ આપણામાં કશુંક ઉમેરે છે. આપણી દુનિયા વિશેની સમજ અને અનુભવની શક્તિને વિસ્તારે છે.રેગ્યુલર રૂટિનની બહાર આપણને લઇ જાય છે, નવીન દ્રષ્ટિકોણ કે શોખના ચાર્મ સાથે. ફ્રેશનેસ હોય ત્યારે આ બદલાવ ગમે ય છે. 
એટલે સંબંધની સમાપ્તિ થાય, ત્યારે ફક્ત એક વ્યક્તિ જ જીવનમાંથી ખોવાઈ નથી જતી, આપણી  થોડીક સેલ્ફ પણ એના જવા સાથે ખોવાઈ જતી હોય છે, મૂરઝાઈને મરી જતી હોય છે!
પછી ઘણી વાર સંવેદનશીલ માણસ બીજી વારના સંબંધમાં ય પોતાની ફરતે પેલા રિજેક્શનના પીડાદાયક અનુભવનું રિપિટેશન ટાળવા અદ્રશ્ય દીવાલો ઊભી કરે! પ્રેમ અને ભરોસા જેવા શબ્દો એના માટે પછી અભિનય થઈ જાય, અનુભૂતિ નહિ! ઘણા જીદ્દી થઈ ફિક્સ ફોર્મેટમાં જીવે.....ઘણા સતત ગ્રોથ પામે - નવું શીખીને. અલ્ટીમેટલી, એક જ ઘટના તરફ બધાની રિએક્ટ કરવાની કેપેસિટી જુદી-જુદી હોવાની. કોઈક એવું માને કે, રિજેક્શન તો ઓક્સિજનની જેમ પાર્ટ ઓફ લાઈફ છે.કેટલાક કોચલું વળીને ખુદને કોસવાની સંતાપ-સફર પર નીકળી પડે.

એટલે જ છોડવાનું પણ શાસ્ત્ર હોવું જોઈએ.
વિચ્છેદના પણ વિધિવિધાન હોવા જોઈએ.
ગુડબાયની પણ રૂલબુક હોવી જોઈએ.
એન્ટ્રી જેટલી જ અગત્યની બાબત છે : એક્ઝિટ.
સમયસર ઉભા થવામાં એક કશીશ બચે છે, ધીમી ધીમી સુગંધ વીખેરતી.
તાજેતરમાં  ઈટાલીના  ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સાલ્વિનીની ટીવી હોસ્ટ ગર્લફ્રેન્ડ એલિઝાએ ઈન્સ્ટાગ્રામ પર બ્રેકઅપ એનાઉન્સ કરતી વખતે બેઉની એક સ્માઇલિંગ ઈન્ટીમેટ તસવીર મૂકી  અને સાથે ઈટાલીયન કવિ જીયો ઈવાનની આ પંક્તિઓ લખી :
'ઈટ્સ નૉટ વૉટ વી હેવ ગિવન ઈચ અધર,
બટ વોટ વી કુડ હેવ ગીવન ટુ 
ઈચ અધર ધેટ આઇ વિલ મિસ!'
અર્થાત
'મને એ બાબતો યાદ નહિ આવે કે જે આપણે એકબીજાને આપી,
પણ એની ઓછપ જરૂર આવશે જે આપણે એકબીજાને આપી શકતા હતા!''
બ્રેકઅપમાં પેઇન જેટલું ગમતાના જવાનું હોય છે, એટલું જ પેઇન  હોય છે આ અપાર સંભાવનાઓનો જામ ઢોળાઇ જવાનું પણ.


ફાસ્ટ ફોરવર્ડ

કૂછ યૂં લગતા હૈ, તેરે સાથ હી ગુઝરા વો ભી

હમને જો વક્ત, તેરે સાથ ગુઝારા હી નહીં!

(મખ્મૂર સઈદી)



जो तुलना छोड़ देता है, वह आनंद में मग्न हो जाता है

ओशो


एक झेन फकीर से किसी ने पूछा:

तुम्हारे जीवन में इतना आनंद क्यों है?…मेरे जीवन में क्यों नहीं?


उस फकीर ने कहा:

मैं अपने होने से राजी हूं और तुम अपने होने से राजी नहीं हो।

फिर भी उसने कहा,

कुछ तरकीब बताओ।

फकीर ने कहा,

तरकीब मैं कोई नहीं जानता।

बाहर आओ मेरे साथ.....

यह झाड़ छोटा है, वह झाड़ बड़ा है।

मैंने कभी इन दोनों को परेशान नहीं देखा कि मैं छोटा हूं, तुम बड़े हो।

कोई विवाद नहीं सुना। तीस साल से मैं यहां रहता हूं।

छोटा अपने छोटे होने में खुश है, बड़ा अपने बड़े होने में खुश है; क्योंकि तुलना प्रविष्ट नहीं हुई। अभी उन्होंने तौला नहीं है।

घास का एक पत्ता भी उसी आनंद से डोलता है हवा में, जिस आनंद से कोई देवदार का बड़ा वृक्ष डोलता है।

कोई भी भेद नहीं है।

घास का फूल भी उसी आनंद से खिलता है, जिस आनंद से गुलाब का फूल खिलता है। कोई भेद नहीं है।

तुम्हारे लिए भेद है।

तुम कहोगे: यह घास का फूल है, और यह गुलाब का फूल। लेकिन घास और गुलाब के फूल के लिए कोई तुलना नहीं, वे दोनों अपने आनंद में मग्न हैं।

जो तुलना छोड़ देता है, वह मग्न हो जाता है। जो मग्न हो जाता है, उसकी तुलना छूट जाती है।

( सुन भई साधो )


મજામાં હોવું એટલે... ડૉ. નિમિત્ત ઓઝા





જામાં હોવું એટલે...
ડૉ. નિમિત્ત ઓઝા

 

 

કોઈએ પણ પૂછેલા 'કેમ છો ?' ની પાછળ આપણે
'મજામાં'
એટલું સરળતાથી જોડી દઈએ છીએ
જાણે આપણા નામની પાછળ આપણી અટક !


પણ મજામાં હોવું એટલે શું ?


જામાં હોવું એટલે...

 કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર, બીજા કોઈના પણ અભિપ્રાયોને મહત્વ આપ્યા વગર પોતાની જાતને પ્રેમ કરવો. કોઈની પણ અવગણનાથી દુઃખી થયા વગર પોતાની જાતને મહત્વ અને ધ્યાન આપવું.


જામાં હોવું એટલે...

સરળતાથી માફ કરી શકવું. જે લોકો પાસે ખુશ રહેવાના કારણો હોય છે, તેમની પાસે બદલો લેવાનો સમય નથી હોતો. તેઓ લોકોને એટલા માટે માફ કરી દે છે કારણકે તેઓ પોતે શાંતિ ઈચ્છે છે. કોઈને પણ માફ ન કર્યાનો ભાર લઈને ફરવું, એ સ્વાસ્થ્ય માટે સિગરેટ કરતા વધારે હાનીકારક છે.


જામાં હોવું એટલે...

સંતોષ હોવો. ઈશ્વર તરફથી જે મળ્યું છે એનો આભાર અને જે નથી મળી શક્યું એનો સ્વીકાર, આ સમજણ હોવી એટલે મજામાં હોવું. જે દેખાતું નથી એને પામવાની ઝંખનામાં રાત-દિવસ રઝળપાટ કરવાને બદલે, સમી સાંજે એક બાંકડા પર બેઠા બેઠા ગમતા લોકો સાથે સૂર્યાસ્તને જોઈ શકવો.


જામાં હોવું એટલે...

કોઈપણ આડંબર કે દંભ વગર ખુલ્લા દિલે હસી શકવું.
આપણા જ ક્ષેત્ર કે વ્યવસાયમાં રહેલા કોઈ મિત્રની પ્રગતિથી ખુશ થવું.


જામાં હોવું એટલે...

કશુંક ગુમાવી દેવાના ડર કે અસલામતી વગર જે મળ્યું છે એની ઉજવણી કરવી.
કોઈપણ વળતરની અપેક્ષા વગર લોકોને મદદ કરી શકવી અને એ વાતનું અભિમાન ન આવવું.

જામાં હોવું એટલે...

વર્તન, વાણી અને વિચારમાં ઉદાર હોવું.
નાનામાં નાની વ્યક્તિને યોગ્ય સન્માન આપી શકવું.

જામાં હોવું એટલે...

એકાંતમાં ગીતો ગાવા.
શરમના પડદાઓ ફાડીને દિલ ખોલીને નાચવું.
સામે મળતા દરેક જણને હસીને ગળે મળવું.

જામાં હોવું એટલે...

સાંજનું ગમવું. દરેક સાંજ આપણા મૂડ અને મનોભાવોનું પ્રતિબિંબ હોય છે. સાંજ એ આપણા વિચારો અને અવસ્થાનો અરીસો છે. જેને સાંજ ગમે છે, એ માણસ નક્કી મજામાં છે.

જામાં હોવું એટલે...

કોઈપણ વાતનો અફસોસ ન હોવો.
ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ભૂલી જવી, એ બીમારી નથી, તે એક કળા છે.
આનંદના આકાશમાં ઉડવું હોય તો વિમાનમાં બેસવાની એક જ શરત છે:
ધારદાર ભૂતકાળ કે અણીદાર વાતો સામાનમાં રાખવી નહિ !

જામાં હોવું એટલે...

જાતમાં તલ્લીન હોવું.
ઈશ્વરે બનાવેલા અજોડ અને અનન્ય સર્જનને અરીસામાં નિહાળીને તાળીઓ પાડવી.
બીજાનું સારું ઈચ્છવું.
જેઓ અન્યનું ખરાબ ઈચ્છે છે, એ લોકો મજામાં નથી હોતા.

પ્રેમ એવા જ લોકો કરી શકે છે જે મજામાં હોય છે!
આપણી આસપાસ રહેલા અન્ય લોકોને મજામાં રાખવા માટે આપણું પોતાનું મજામાં હોવું જરૂરી છે.

જામાં હોવું એટલે...

એ રીતે વર્તવું
કે સામે મળતા કોઈએ પણ
'કેમ છો ?'
પૂછવાની જરૂર જ ન પડે !





12.4.18

ईर्ष्या किससे करनी चाहिए


ईर्ष्या किससे करनी चाहिए ?
(ओशो )


किसी के वस्त्र देख लिए, ईर्ष्या हो गई।
किसी का मकान देख लिया, ईर्ष्या हो गई।
बना भी लोगे मकान तो कुछ न होगा। 

जिसका देखकर तुम्हें ईर्ष्या हुई है, जरा उसकी तरफ तो देखो, उसे क्या हो गया है?
कुछ भी नहीं हुआ। हो सकता है, तुमसे भी ज्यादा दीन—हीन अवस्था हो।

ईर्ष्या ही करनी हो 
तो उससे करो, 
जिसकी सारी ईर्ष्याएं खो गयीं !

यह हो सकता है कि तुम जिसका मकान देखकर ईर्ष्या कर रहे हो, वह तुम्हारा स्वास्थ्य देखकर ईर्ष्या कर रहा हो। सम्राट भी ईर्ष्या से भर जाते हैं।

मैंने सुना है, एक सम्राट का हाथी निकलता था। और एक जवान आदमी नें—एक फकीर था और एक मजार पर लेटा रहता था—उसकी पूंछ पकड़ ली और हाथी को रोक लिया। सोचो उस गरीब सम्राट की हैसियत! उसके प्राण कैप गए, सारा साम्राज्य मिट्टी हो गया। अचानक उस फकीर ने सम्राट को नपुंसक कर दिया। बड़ा दुखी हुआ। घर तो लौट आया, लेकिन बड़ा उदास हुआ। एक नंगा फकीर!

उसने किसी बुजुर्ग को पूछा कि क्या करें? कुछ करना पड़ेगा। यह तो निकलना बंद हो जाएगा। मैं गांव में निकलूंगा तो शर्म मालूम पड़ेगी। मैं हाथी पर हूं भला, मगर इसका क्या मतलब रहा? कोई आदमी पूंछ पकड़ ले हाथी की, हाथी न सरक सके, हम ऊपर अटके रह गए; महावत था, कुछ न कर पाया। उस बुजुर्ग ने कहा, घबड़ाओ मत। तुम ऐसा करो, खबर भेजो उस फकीर को कि तुझे एक रुपया रोज मिलेगा, सिर्फ मजार पर रोज शाम को छह बजे दीया जला दिया कर।

फकीर ने सोचा, यह तो अच्छा ही है; अभी मांगकर खाना पड़ता था, यह झंझट ही मिटी मांगकर खाने की, एक रुपया मिल जाएगा।

उन दिनों एक रुपया बड़ी बात थी, जागीर थी। एक रुपया तो एक महीने के लिए काफी था। उसने कहा कि यह तो बड़ा सौभाग्य हो गया। और कुल काम इतना है कि छह बजे दीया जला देना है। उसी मजार पर तो पड़े ही रहते हैं, तो उसमें झंझट भी क्या? उठकर जला देंगे।

महीने भर बाद, उस बुजुर्ग ने कहा, तुम फिर निकलना हाथी पर। महीने भर मत निकलो। महीने भर बाद निकला सम्राट। उस फकीर ने फिर पूंछ पकड़ी, लेकिन घिसट गया। सम्राट हैरान हुआ। उस बुजुर्ग से ईर्ष्या हुई उसे अब, कि यह आदमी बड़ा अदभुत जानकार है; न देखा इस आदमी को, न गया, बस बैठे—बैठे इतनी बात बता दी और कारगर हो गई! पूछा कि कैसे यह हुआ?

उसने कहा, सीधी सी बात है।
बेफिक्री उसकी मस्ती थी , उसकी ताकत थी; जरा सी फिक्र पैदा कर दी, मारा गया !

अब फिक्र लगी रहती है उसको, दिन में दो—चार दफे देख लेता है घड़ियाल की तरफ घंटाघर की—छह तो नहीं बज गए! क्योंकि चूक जाए, कहीं भूल जाए। कभी समय की फिक्र न की थी, बेसमय जीया था। तो जरा सी फिक्र डाल दी, चौबीस घंटे खटका बना रहता है। रात में सोता है तो भी खटका बना रहता है कि छह बजे जला देना है, एक रुपया मिलना है। 

और रुपए मिलने लगे तो गिनती करने लगा,जोड़ने लगा कि एक रुपए में तो महीने का काम हो जाएगा, बाकी तो उनतीस रुपए बच जाएंगे। साल में कितने होंगे, दस साल में कितने होंगे! महल बना लूंगा। 

पहले शांति से सोया रहता था, सपने भी न आते थे, अब बड़े सपने आने लगे। 

मार दिया जरा सी तरकीब से !!

ईर्ष्या ही करनी हो तो उनकी करना, जिनकी सारी ईर्ष्या खो गई।


ईर्ष्या मैं कुछ बुरा नहीं है।
गलत की ईर्ष्या मत करना,

क्योंकि गलत की ईर्ष्या करोगे तो गलत ही हो जाओगे। 


शुभ की ईर्ष्या करना,
मंगल की ईर्ष्या करना,
तो
जिसकी ईर्ष्या करोगे,
उसी तरफ यात्रा शुरू हो जाती है।

ईर्ष्या तो दिशासूचक है—
कहां जाना चाहते हो,
क्या होना चाहते हो!


ईर्ष्या में कुछ भी बुरा नहीं है।
द्वेष में भी कुछ बुरा नहीं है।
किसी चीज में कुछ बुरा नहीं है !
 बस, ठीक दिशा में सारी चीजों को संयोजित करने की बात है।

कांटे भी फूल हो जाते हैं, बस जरा सी समझ चाहिए।
फूल भी कांटे हो जाते हैं, बस जरा सी नासमझी काफी है !

( एस धम्‍मो सनंतनो )





17.3.18

ઓટોગ્રાફ પ્લીઝ ! (અશોક દવે)



ઓટોગ્રાફ પ્લીઝ !

અશોક દવે




કવિ-લેખકોનો આ પ્રોબ્લેમ છે. બૅન્કમાં ચૅક વટાવવા ગયા હોય ને ત્યાંનો ક્લાર્ક એમની પાસે સહી કરાવે,એમાં કવિ 'ઑટોગ્રાફ' સમજે અને ચૅકની પાછળ મૅસેજ 'બૅસ્ટ વિશીઝ'... લખીને સ્માઇલ સાથે પાછો આપે !!
તારી ભલી થાય ચમના, કઇ કમાણી ઉપર તું એને ઑટોગ્રાફ સમજી બેઠો છું ? પેલો તારી સામે ઊંચું ય જોતો નથી ને તું એને ચાહક સમજીને તારો મોબાઇલ તૈયાર રાખીને ઊભો છે કે, 'હમણાં સૅલ્ફી પડાવવો પડશે... ઓહ, કેટલાને ના પાડીએ ?!!!'

નવેનવા કલાકાર કે સાહિત્યકાર એવા રીહર્સલો રોજ કરે કે, 'ક્યાંક ફંક્શન-બંક્શનમાં ગયા હોઇએ અને વાચકોના ટોળેટોળા આપણને વળગી પડે, ત્યારે હાવભાવ કેવા ગંભીર રાખવા, સૅલ્ફી કેવી રીતે પડાવવી, મૅસેજમાં શું લખવું......આપણી પૅન વાચકના હાથમાં રહી ન જાય, એનો ખ્યાલ કેવી રીતે રાખવો.....ફોટોગ્રાફરો ઉપસ્થિત હોય ત્યારે કઇ બ્રાન્ડના સ્માઇલો આપવા !!!


સૅલિબ્રિટીઓ ઑટોગ્રાફ્સ આપતી વખતે-'ઑટોગ્રાફ્સ આપવા અમને બહુ ગમતા નથી', એવા સ્થિર કચકડાંના મોંઢાં રાખે, એ સ્ટાઈલ અજમાવવાની કોશિશ સાવ નવેનવા સાહિત્યકારે પણ કરી જોઈ હતી-
પહેલી વાર કોઈએ ઓટોગ્રાફ માંગ્યા ત્યારે.

એક સમારંભમાં એક સુંદર યુવતી એનો ઑટોગ્રાફ લેવા આવી. માંગે અને તરત આપી દઇએ તો જરા ચીપ લાગે, એટલે નાનો અમથો 'પો' પાડવા એણે મોંઢું સ્થિર કરીને કહી દીધું,

''સૉરી... હું હસ્તાક્ષર નથી આપતો...!''

પેલી એનીય મા નીકળી.
ડૂંગળીના દડાને બચકું ભરતી હોય એવું કાચેકાચું હસીને જતા જતા બોલી,
''ઓ હીરો... હું ઑટોગ્રાફ લેવા નથી આવી... તમારી પૅન પડી ગઇ'તી, તે પાછી આપવા આવી'તી...!''
એમાં તો યુવતી અને પૅન બન્ને ગયા !!

સાવ નવા કલાકાર કે સાહિત્યકાર પાસે કોઇ ગેરસમજથી ચાહક એનો ઑટોગ્રાફ લેવા ગયો અને નૉટ-પૅન ધર્યા... ભ'ઇને ઑટોગ્રાફ આપવાનો કોઇ અનુભવ ન હોય, એમાં તો હલવઇ જાય અને સામું પૂછે, 
''ક્યાં  સહીઓ કરવાની છે...?'' 

પેલાને સમજણ તો પડી જાય અને ઘડીભર પસ્તાવો પણ થાય (!), પણ સમય સાચવીને એ કહી દે, 
''બસ જી... આપનો ચાહક છું... ઑટોગ્રાફ આપશો ?''
જરા ધૂંધવાઇ જઇને આવડો આ પેલાની સામે દયામય ભાવમુદ્રાથી જોશે, પછી નૉટ-પૅનની સામે જોશે અને ભારે ચીવટથી લખશે,

''મોદી હરિશકુમાર જશવંતલાલ-સોજીત્રાવાળા''.... 

અને મૅસેજમાં લખ્યું હોય, 

'સ.દ. પોતે'!!!


પેલો લેખકશ્રીનો મૅસેજ જોવા મુંડી નીચી કરે એ જ ક્ષણે ઝાટકા સાથે ઊંચી કરી નાંખે.....
''...આ...આઆ...આ શું ? ઓ સૉરી, તો તમે... સાહિર લુધિયાનવીજી નથીઇઇઇ...? ઓહ, મોંઢે શીળીના ચાઠાં જોયા, એટલે મને એમ કે તમે સાહિર સાહેબ છો... સૉરી !''
એટલું કહીને,  ઘટનાસ્થળે પાનું ફાડી, ડૂચો કરી ત્યાં જ નાંખીને જતો રહે !

વર્ષો પહેલા ફિલ્મ 'ક્રાંતિ'ના ગોરેગાંવ પાસે તુલસી-લૅક ખાતે શૂટિંગમાં શશી કપૂરને મળવાનું થયું હતું. મારી સાથે પત્ની હતી. શશી કપૂરની ફ્લૅમબૉયન્ટ સ્ટાઇલ હતી, ખુલ્લા સ્માઇલ સાથે હથેળી મસળતો મસળતો બોલતો આવે, ''હાય... આઈ ઍમ શશી કપૂર...'' એમ કહીને અમારી સામે આંખ મારી હાથ મિલાવ્યા. વાઇફે એનો ઑટોગ્રાફ તો લીધો પણ એ એને યાદ નથી રહ્યો... 'આંખ મારી' એ બખૂબી યાદ રહી ગયું છે. એ પછી તો એ અડધા ગુજરાતને કહી ચૂકી છે કે, 

''સસી કપૂરે મને આંયખ માયરી...!''

 એનો ઘા રૂઝવવા ઘેર આવ્યા પછી મેં એને આજ સુધી બે કરોડ આંખો મારી આપી હશે, પણ એની એને  કિંમત હોય ?


હા. વાઇફ મારા ઑટોગ્રાફ્સ ભૂલ્યા વિના દર પંદર દિવસે માંગે છે, ચૅકબૂકમાં સાઇન કરાવવા !

 





16.2.18

સૌરભ શાહ : એકલા પડી ગયા હોવાનો ડર કેવી રીતે દૂર થાય ?


એકલા પડી ગયા હોવાનો ડર
કેવી રીતે દૂર થાય ?

(તડકભડકઃ સૌરભ શાહ)


એકાંત જાગરણ છે અને એકલવાયાપણું ઉજાગરો છે. એક સ્વૈચ્છિક છે, બીજામાં ફરજિયાતપણું છે. આપણે બીજાની વાત કહી રહ્યા છીએ.
એકલવાયાપણું એ કોઈ ભૌતિક પરિસ્થિતિ નથી માત્ર એક માનસિક પરિસ્થિતિ છે એવું સ્વીકાર્યા પછી જ એના ઈલાજમાં આગળ વધી શકાય.
એકલા થઈ ગયાની લાગણી કામચલાઉ હોઈ શકે અને ખૂબ લાંબા સમય સુધી પણ રહી શકે. ક્યારેક આવા ગાળા લંબાતા હોય છે. કદાચ કાયમી બની જશે એવી દહેશત લાગે છે. બાળકોને હોસ્ટેલમાં ભણવા મોકલી દીધા હોય, ઘરમાંથી વહાલસોયી દીકરીને કે લાડકી બહેનને સાસરે વળાવી દીધી હોય, દીકરો પરદેશ સેટલ થઈ જાય, અંગત મિત્રની બહારગામ ટ્રાન્સફર થઈ જાય, છૂટાછેડાં લેવામાં આવે, ખૂબ જ આત્મીય સંબંધ પૂરો થઈ જાય, જેને સૌથી નજીકની માની હોય એવી મા, પુત્રી, પુત્ર, મિત્ર, પતિ, પિતા જેવી વ્યક્તિનું અવસાન થઈ જાય. આ અને આવી બીજી ઘણી પરિસ્થિતિઓ એવી હોવાની જે માણસના મનમાં શૂન્યાવકાશ સર્જે. આવા સંજોગોમાં સર્જાતી એકલવાયાપણાની લાગણીનો ગાળો ખૂબ લાંબો ચાલવાનો.
એકલવાયાપણાની લાગણી બે ચાર દિવસ માટેની હોય કે ખૂબ લાંબા ગાળા માટેની એ સતત ચાલુ રહે છે ત્યારે માણસ અંદરથી વહેરાતો જાય છે. આ લાગણી ભલભલાના પગ ઢીલા કરી નાંખે. માણસને નબળો અને આળો બનાવી દે. એકલવાયા થઈ ગયાની લાગણી માટે બાહ્ય કારણો ભલે હોય પણ આ લાગણીનો જન્મ માણસની પોતાની માનસિક્તાને કારણે થતો હોય છે.
પોતાના તમામ પુત્ર-પુત્રીઓ પરદેશ રહેતાં હોવા છતાં પત્ની સાથે કે પત્ની વિના જલસાથી હર્યું ભર્યું જીવન જીવતા સેવન્ટી પ્લસના વડીલો તમે જોયા હશે. પતિ કે પત્નીના અકાળ અવસાન પછી એ આઘાતને જીરવીને નવેસરથી પોતાનું જીવન ગોઠવીને જીવતી વ્યક્તિઓ તમે જોઈ હશે. એકલા પડી જવાની લાગણી મનમાં જન્મે ત્યારે એને એ જ સ્તરે માનસિક સ્તરે જ નાબૂદ કરવાની કોશિશ કરવી પડે. કારણ કે ભૌતિક સ્તરે તો કશું જ તમારા તાબામાં હોતું નથી. સ્વજનના મૃત્યુને કારણે એકલા થઈ ગયેલાં લોકો લાખ કોશિશ કરે, એને પાછું બોલાવી શક્તા નથી. તમને ઘરમાં એકલું ન લાગે એટલે દીકરી કે બહેનનું સાસરું છોડાવી શક્તા નથી. કોઈ બીજાની સાથે જતી રહેલી પ્રિયતમાના નવા પ્રેમીનું, લાખ ઈચ્છા હોવા છતાં તમે કશું બગાડી શક્તા નથી. ભૌતિક પરિસ્થિતિઓ પરનો તમારો કાબૂ મર્યાદિત હોવાનો. માનસિક સ્તરે જ એકલવાયાપણાનો મુકાબલો થાય.
કેવી રીતે?
સાત રીતે.
માણસમાં એકલા પડી જવાની લાગણીની સાથે જ જબરજસ્ત ભયની લાગણી જન્મે છે. હેબતાઈ જવાય એવો ધ્રાસકો, એવી ફાળ પડે છે. બહાવરા બની જવાય છે. આને કારણે કયાં તો આપણે સઘળા મિત્રો-પરિચિતોને ફોન કરીને કે મળીને આ લાગણીને ખંખેરવાનો પ્રયત્ન કરીએ અથવા એના કરતાં તદ્દન ઊંધું કરીએ- મનનાં તમામ બારી દરવાજા બંધ કરીને બધા સાથે સંપર્ક તોડી નાંખીએ. આ બેઉ અંતિમોની પરિસ્થિતિ બિનઉપયોગી પુરવાર થવાની એટલું જ નહીં, જોખમી પણ થઈ શકે. આવું કરવાથી એકલવાયાપણું દૂર થવાનું નથી. થશે તો ઉપરછલ્લું જ દૂર થશે અને જોખમી એટલા માટે કે ગમે તેની આગળ જઈને હૃદય ઠાલવી દેવાથી એ વ્યક્તિ ભવિષ્યમાં તમારો ઉપયોગ કરતી થઈ જશે. ઉપયોગ એટલે બ્લેકમેલિંગના અર્થમાં નહીં. પણ હા, સરળ અર્થમાં એને ઈમોશનલ બ્લેકમેલિંગ ગણી શકીએ.
તમારો ડર, તમારી કલ્પનામાં દેખાતી ખરાબ પરિસ્થિતિઓ તમે જ્યારે બહુ નિકટની નહીં એવી વ્યક્તિ સમક્ષ પ્રગટ કરી દો છો ત્યારે એની આગળ તમે એક નિર્બળ વ્યક્તિ તરીકે બહાર આવો છો. તમારી આ નિર્બળતાનો ઉપયોગ ભવિષ્યમાં એ પોતાના સ્વાર્થની વાત હશે ત્યારે નહીં કરે એની કોઈ ખાતરી નથી. એકલવાયા થઈ જવાની તીવ્ર લાગણીથી ઘેરાઈ જઈએ ત્યારે બહાવરા બનીને અહીં ત્યાં ભટકવાને બદલે ઘડીભર સ્થિર થઈ જવું, થંભી જવું, ટેમ્પરરી સ્થગિત થઈ જવું. કોઈ જ નિર્ણયો લેવાં નહીં. રોજિંદી જરૂરિયાત સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પણ રોકી દેવી. વાહન ગતિમાં હોય ત્યારે અચાનક દિશા બદલી નાખવામાં જોખમ છે. દિશા બદલવા ગતિ ઓછી કરવી પડે. ક્યારેક થંભી જવું પડે. દિશા બદલવી જરૂરી છે કે નહીં તે નક્કી કરવા માટે પણ આટલું કરવું પડે.
એકલવાયાપણું દૂર કરવાનો સૌથી પહેલો ઈલાજ આ : દોડાદોડ કરી મૂકવાને બદલે થોડીકવાર જ્યાં છો ત્યાં, જેમ છો એમ, સ્થિર રહેવું.
૨. એકાંત પસંદ કરનાર વ્યક્તિ આત્મગૌરવ, સેલ્ફ એસ્ટીમ, જાળવી શકે. રાધર, જેનામાં ભરપૂર આત્મસન્માન હોય એ જ વ્યક્તિને એકાંત પ્યારું લાગે. પણ એકલા પડી ગયા છીએ એવું લાગે છે ત્યારે સૌ પ્રથમ ભોગ આપણા આત્મસન્માનનો લેવાય છે.
એકલવાયા હોવાની લાગણીને કારણે માણસ સેલ્ફ-એસ્ટીમ ગુમાવી બેસે છે કે પછી સેલ્ફ-એસ્ટીમ ગુમાવવાને કારણે માણસ એકલવાયો થઈ જાય છે?
વ્યક્તિ સેલ્ફ એસ્ટીમ ગુમાવતી જાય એમ ધીરેધીરે એ પોતાની જાતને બીજાઓના સંપર્કમાંથી પાછી ખેંચાતી જાય, જેથી એ બીજાઓ આગળ પોતાની જાતને દયામણી તરીકે રજૂ કરવામાંથી બચી જઈ શકે. છેવટે એ એકલી પડી જાય છે. આથી ઊલ્ટું, અન્ય કોઈપણ કારણોસર એકલવાયી થઈ ગયેલી વ્યક્તિ 'મને કોઈ ચાહતું નથી' કે 'મારી કોઈનેય પડી નથી' વગેરે લાગણીને કારણે આત્મસન્માન ગુમાવવાનું શરૂ કરી દે. એકલવાયાપણું ન સર્જાય તે માટે અથવા તો સર્જાઈ ગયેલું એકલવાયાપણું વિખેરાઈ જાય તે માટે વ્યક્તિનું આત્મગૌરવ જળવાઈ રહે તે જરૂરી છે. આત્મગૌરવ તૂટતું હોય ત્યારે એને રોકવા શું થઈ શકે?
તમારું આત્મગૌરવ તમને બીજું કોઈ ન આપી શકે. કોઈ તમને માન આપે અને તમને લાગે કે તમારી સેલ્ફ-એસ્ટીમ ઊંચી જઈ રહી છે અને કોઈ તમને અપમાનિત કરે કે તમારી ઉપેક્ષા કરે અને તમને લાગે કે તમારા આત્મગૌરવનું તળિયું દેખાઈ રહ્યું છે તો માનજો કે જિંદગીમાં તમારું આત્મસન્માન કાયમ માટે જાળવી શક્વાના નથી. તમે તમારા લાગણીતંત્રનું સુકાન બીજાના હાથમાં મૂકી દો એ પછી તમારી પોતાની દિશામાં આગળ વધી શકો એ વાત જ અશક્ય છે.
આત્મગૌરવ જળવાય એ માટે માણસને પોતાની જાતમાં શ્રદ્ધા હોવી જોઈએ અને જાતમાં શ્રદ્ધા ત્યારે બેસે જ્યારે એને પોતાની મર્યાદાઓ વિશે જાણ થઈ જાય અને ખૂબીઓ વિશે ખ્યાલ આવી જાય. એટલો ખ્યાલ આવી ગયા પછી માણસ પોતાની ખૂબીઓને વધુ ધારદાર બનાવવાના પ્રયત્નો કરતો રહે અને પોતાની મર્યાદાઓને ઓગાળવાની કોશિશમાં રત રહે તો એની આ પ્રવૃત્તિ ક્યારેય એનામાં પોતે એકલો પડી ગયો છે એવી લાગણી નહીં પ્રેરે. તો આ થયો એકલવાયાપણાની લાગણીમાંથી મુક્ત થવાનો બીજો ઉપાય. પોતાની ખૂબીઓ અને મર્યાદાઓ પ્રત્યે સભાન થઈ ખૂબીઓને વધારવાની અને મર્યાદાઓને ઘટાડવાની પ્રવૃત્તિમાં ખૂંપી જવું.
૩. જિંદગીમાં જે તબક્કે આવીને તમે ઊભા છો ત્યાં સુધી આવવામાં તમારા કેટલાક પ્લસ પોઈન્ટ્સનો ફાળો છે એ વાતમાં કોઈ શંકા નથી. આ પ્લસ પોઈન્ટ્સ કયા? આવું વિચારવાનું ભાગ્યે જ બને છે. હંમેશાં આપણને એવું શીખવવામાં આવ્યું કે આપણે જો આપણી જાતને અહોભાવથી જોતાં થઈ જઈશું તો છકી જઈશું. વાત સાચી. પણ જાતને અહોભાવથી જ જોવી એવું જરૂરી નથી, ભાવપૂર્વક પણ જોઈ શકાય ! આપણામાં કેટલાક ગુણો, કેટલીક ખાસિયતો એવાં જરૂર છે જેને કારણે આપણે એકલા રહીને પણ અડીખમ રહી શકીએ. સતત બીજાઓ પર નિર્ભર રહેવાની જરૂર નથી. બીજાના પર આધાર રાખવાથી પરતંત્ર થઈ જવાશે. તમારી આઝાદી ક્યારે કોણ છીનવી લઈ શકે એમ છે એનો વિચાર કરવાથી એકલા પડી ગયા હોવાનું દુઃખ ઓછું થઈ જશે. જો બેઉ વિકલ્પો ખરાબ હોય તો નક્કી કરો કે ક્યો વિકલ્પ ઓછો ખરાબ છેઃ એકલા પડી જવું કે પોતાની સ્વતંત્રતા ગુમાવી દેવી? તો આ થયો ત્રીજો ઈલાજ. એકલા પડી ગયા હોવાની લાગણી જન્મે ત્યારે કોઈકના પર પૂરેપૂરા ડિપેન્ડન્ટ થઈ જવાથી આવનારાં દુષ્પરિણામો વિશે વિચારવું. બંધનવાળું જીવન જીવવા કરતાં એકલવાયું જીવન જીવવું વધારે સારું.
૪. એકલવાયા થઈ જવાની લાગણી જન્મે ત્યારે એકસાથે બે વિરોધાભાસી વિચારો જન્મે ! એક, બધું જ વેરવિખેર કરી નાંખીને એકદમ ફ્રેશ શરૂઆત કરવી છે અને બે, કશું જ બદલવું નથી, કોઈ પરિવર્તનનું સાહસ કરવું નથી, જીવનમાં જૈસે થે ની પરિસ્થિતિ જાળવી રાખવી છે. એકલા પડી જઈએ છીએ ત્યારે સૌથી વધુ ઈચ્છા બધું જ બદલી નાંખવાની થાય છે.  લાઈફસ્ટાઈલ, મિત્રો, વિચારો, આસપાસનું વાતાવરણ, નોકરી, ઘરનું ફર્નીચર અને ક્યારેક શહેર પણ. જાણે આપણા એકલવાયાપણાનું કારણ આ જ બધા લોકો કે આ જ બધી પરિસ્થિતિઓ કે આ જ બધી ચીજો હોય અને એ બદલાઈ જશે કે તરત એ લાગણી મટી જશે એવી ખાતરી થઈ જાય છે આ ગાળામાં અને કેટલીકવાર માણસ બધું જ વેરવિખેર કરી નાખવાનો આરંભ પણ કરી દેતો હોય છે.
આવું કરવું નુકસાનકારક પુરવાર થઈ શકે, એકલવાયા હોઈએ ત્યારે ખાસ. વર્ષોની જહેમતથી, એક-એક ઈંટ ગોઠવીને તૈયાર કરેલી ઈમારતનો એક ઝાટકે ધ્વંસ કરી નાંખવાથી શું મળશે? જે છે એ પણ ચાલ્યું જશે અને હતા એના કરતાં વધારે એકલવાયા બની જવાશે ! વગર વિચાર્યે બધું જ એક સપાટામાં ભૂંસી નાખવાની કલ્પના કરવી પણ વ્યર્થ છે. અત્યાર સુધી ઊભું કરેલું વિશ્વ આપણી માનસિક સલામતીનો એક હિસ્સો છે અને આ વિશ્વને વેરવિખેર કરી નાખવાથી એ સલામતી પણ જતી રહેવાની છે. નોકરી બદલી નાખવાથી કે ઘર બદલી નાખવાથી કે જીવનસાથી બદલી નાખવાથી તમારા એકલવાયાપણાનો ઈલાજ નથી થવાનો. કદાચ વધી જશે. બહેતર એ છે કે જે છે એમાં ફાયદાકારક અને ઉપયોગી કેટલું છે એ વિચારીને અત્યાર સુધીની કમાણીને રોળી નાખવાની લાલચ પર કાબૂ મેળવી લેવો.
આના કરતાં તદ્દન સામા છેડાની વાત પણ એટલી જ જોખમી. એકલા હોઈએ ત્યારે બધું જ જેમ છે એમ રાખવાનું મન થાય. કશું જ બદલવું નથી, પહેરેલાં કપડાં પણ નહીં, એવા વિચારો સતત તમને ખેંચ્યા કરે. આ એક બીજો અંતિમ થયો. ક્યારેક વિચારો કે લાગણીઓની બાબતમાં આવા અંતિમવાદી થવું ગમે, સારું પણ ખરું. પરંતુ દર વખતે તદ્દન  સામા છેડાના અંતિમે ન પહોંચી જવાય. જેમ કે, એકલવાયા હોઈએ ત્યારે બધું જ બદલી નાખવાની વૃત્તિ જેટલી જોખમકારક થઈ શકે એટલી જ -કશું નથી બદલવું- ની જીદ હાનિકારક પુરવાર થાય.
એકલવાયા હોઈએ ત્યારે કેટલીક વખત કશુંક બદલવું પડતું હોય છે અને પોતે થોડાક બદલાવું પડતું હોય છે. પતિ કે પત્નીની ગેરહાજરી કે ગેરહયાતીને કારણે એકલવાયી થઈ ગયેલી વ્યક્તિ નવેસરથી જીવન શરૂ કરવાનું નક્કી કરે એમાં કંઈ ખોટું નથી. નિવૃત્તિ પછી ઘરમાં રહી રહીને કંટાળી ગયેલા માનસિક-શારીરિક રીતે સશક્ત એવા વડીલ કોઈ રોજગારી કે સેવાની પ્રવૃત્તિ શોધી લે એમાં કશું ખોટું નથી. વર્ષો સુધી પ્રેક્ટિસ કરીને લાખો રૂપિયા કમાઈ ચૂકેલો બાહોશ ડોકટર ૪૦-૪૫ વર્ષોથી ભરયુવાન ઉંમરે તબીબી વ્યવસાયને સંપૂર્ણપણે છોડીને ખેતી કરવા મંડી પડે તો એમાં પણ કશું ખોટું નથી. એકલવાયાપણું દૂર કરવા કેટલાંક પરિવર્તનો જરૂરી છે. આ પરિવર્તનો એવાં હોવાં જોઈએ જે અત્યાર સુધીની જિંદગીમાં તમે જે કંઈ ભૌતિક સ્તરે કે લાગણીના સ્તરે કમાયા છો તેને વેડફી ન દે. તો આ થયો એકલવાયાપણું દૂર કરવાનો ચોથો ઈલાજઃ બધું જ વેરવિખેર કરી નાખવાને બદલે માત્ર જરૂર પૂરતાં પરિવર્તનો જ કરવાં.
૫. પાંચમો ઈલાજ જે છે તે એકલવાયાપણું સર્જાય તે પહેલાંનો અર્થાત્ પ્રિવેન્ટિવ ઈલાજ છે. કેટલાક લોકો ખૂબ પ્રવૃત્તિને જીવનની સાર્થકતા સમજે છે. જ્ઞાતિસંસ્થા, સોશિયલ ગ્રૂપ, બિલ્ડિંગની સોસાયટી, નવરાત્રિ જેવા ઉત્સવોનું આયોજન, કલબની પ્રવૃત્તિઓ, ઘરમાં ઝીણામાં ઝીણી બાબતો પર ધ્યાન વગેરે. એક પણ પળ પગ વાળીને બેસી રહેવાનું એમને ગમતું નથી. એકલવાયાપણાનો એકાદવાર અહેસાસ કરી ચૂકેલી વ્યક્તિ ખાસ આવું કરવાની. આખો દિવસ સતત કામના અને નકામા માણસોથી ઘેરાયેલા રહેવું, જેના ને તેના ફોન જાતે જ રિસીવ કરવા, અગાઉથી નક્કી કર્યા વગર ધસી આવતા લોકોને પણ આવકારવા, એટલું જ નહીં, એક મુલાકાતી બેઠા હોય ત્યારે બીજા આવે તો એને પણ સાથે બેસાડી દેવા....
પણ આવા દરબારો કાયમના નથી હોતા. જ્ઞાતિની સંસ્થાનું પ્રમુખપદ કે સોશિયલ ગ્રૂપનું સેક્રેટરીપદ કે સોસાયટીનું ટ્રેઝરપદ પણ કાયમનું હોતું નથી. ભરપૂર વ્યસ્તતા પછી એમાં આવતી ઓટ એકલવાયાપણાની લાગણીને વધુ તીવ્ર બનાવી દે છે. સોળ કલાક વ્યસ્ત રહેતી વ્યક્તિ એકાએક આઠ કલાક વ્યસ્ત રહે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એને એકલતા લાગવા માંડે છે. એને મૂંઝવણ થાય કે બાકીના આઠ કલાકનો ખાલીપો કેવી રીતે પૂરવો. એકલવાયાપણાનો પાંચમો ઈલાજ આ છેઃ ખાવાની જેમ પ્રવૃત્તિઓની બાબતમાં પણ અકરાંતિયાપણાથી દૂર રહેવું.

૬. એકલતા દૂર કરવાનો છઠ્ઠો ઉપાય જરા અટપટો છે. કારણ કે ઉપરછલ્લી રીતે, એ પાંચમા ઉપાય કરતાં વિરોધાભાસી લાગે એવો છે.
છઠ્ઠો ઉપાય છે દિમાગની પ્રવૃત્તિઓ બેસુમાર રાખવી. એમાં ગળાડૂબ રહેવું. મંડળો, કલબો, સોશિયલ ગ્રૂપો ઈત્યાદિની પ્રવૃત્તિઓ મર્યાદિત રાખવી એ બરાબર. પણ શોખના વિષયો મર્યાદિત હોવા જરૂરી નથી. જે વ્યક્તિના રસના વિષયોમાં વૈવિધ્ય હોય એવી વ્યક્તિ એકલી પડી જાય ત્યારે પણ એની પાસે આ બધી-એકલાં એકલાં કરી શકાય એવી-પ્રવૃત્તિઓ હોય છે. એક વાતનું ધ્યાન રાખવું કે અનેક વિષયોમાં રસ લીધા પછી એકાદ-બે વિષય એવા હોવા જોઈએ જેમાં તમારી સંપૂર્ણ માસ્ટરી હોય અથવા એમાં માસ્ટરી મેળવવાનું તમને મન થયા કરતું હોય. જેમાં ખૂબ ઊંડા ઊતરી જવાનું મન થાય એવા એકાદ બે વિષયો વ્યક્તિએ પોતાનામાં ખીલવવા જોઈએ. વ્યક્તિની માનસિક ક્ષિતિજો વિસ્તરેલી હોય તો એના જીવનમાં ઘનઘોર એકલતા નથી આવતી એવું નથી પણ એવી વ્યક્તિઓ એકલતાના ગાળામાં અન્ય વ્યક્તિઓ કરતાં પોતાની જાતને વધારે સારી રીતે સંભાળી શકે છે. શક્ય છે કે આવી વ્યક્તિના જીવનમાં એકલતા પ્રવેશવાના ગાળા જ ઓછા આવે.
એકલતા ઘેરી વળે તે વખતે એકની એક પ્રવૃત્તિ કરવાનો કંટાળો આવતો હોય છે. એકધારાપણાને કારણે ઘણી વખત એકલતા વધુ સજ્જડ બની જતી હોય છે. આવા વખતે એકમાંથી બીજી કે બીજીમાંથી ત્રીજી પ્રવૃત્તિમાં સરકી જવાનું આસાન બને તે માટે રસના વિષયોમાં પહેલેથી જ વૈવિધ્ય રાખવું જોઈએ. ઉંમર વધવાની સાથે સમજાતું હોય છે કે રસના વિષયોમાં વૈવિધ્ય શા માટે જરૂરી છે. કેટલાય વડીલોને તમે જોતા હશો જેમનો એટિટયુડ તમને ઘણીવાર તદ્દન સંકુચિત લાગતો હોય. દિમાગના બધાં બારણાં વાસી દીધાં હોય એવું લાગે. આમ થવાનું કારણ એ કે એમણે પોતાના રસના વિષયોને ઉંમરના શરૂઆતનાં વર્ષો દરમિયાન વધારવાની કોઈ દરકાર કરી હોતી નથી, અથવા તો ઉંમર વધવાની સાથે એમણે જાતને સમૃદ્ધ કરવાને બદલે સંકુચિત બનાવી દીધી હોય છે. એકલતા દૂર કરવાનો  છઠ્ઠો રામબાણ ઈલાજઃ જેમાં રસ પડે એવાં વિષયો / ક્ષેત્રો વધારતા જવું.
૭. એકલતાને એકલી પાડી દેવાનો સાતમો અને છેલ્લો ઈલાજ વ્યવહારનો નથી. આ આધ્યાત્મિક ઈલાજ છે. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું : એકલો જાને રેમાણસ હકીકતમાં એકલો જ છે, એકલો જ રહેવાનો છે અને એકલો જ મરવાનો છે. કોઈ સાથી કે સંગી વિના. નિરંજન ભગતે ગાયું એમ જો કોઈ સાથી મળી પણ જાય ત્યારે જે સાથ સર્જાય તેને 'આપણો ઘડીક સંગ' માનવાનો. ફિઝિકલી જ નહીં મેન્ટલી પણ માણસે એકલા રહેવાની ટેવ પાડવી જોઈએ. કોઈક મળ્યું તો એટલો સમય જલસાનો, ન મળ્યું તો એટલો સમય ડબલ જલસાનો. આખરે તો આપણે એકલા જ છીએ એવું સ્વીકારી લેવાથી એકલવાયાપણામાંથી એકાંત તરફ જવાની દિશા ખુલતી દેખાશે. એકાંતના મંદિરમાં જાત સચવાઈ જતી હોય છે. એકલવાયાપણામાંથી ઉપર ઊઠેલો માણસ જ્યારે એકાંત માણવાનું શરૂ કરે છે ત્યારે જે પરિસ્થિતિ શાપરૂપ લાગતી હતી એ જ હવે દેવની ડાયરેક્ટ દીધેલી હોય એવું લાગવા માંડે છે!